શ્રી ડી.જી.પી સાહેબ તથા સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ પોલીસ સ્ટેશનમા અગલ-અલગ ગુનાકામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સુચના કરેલ જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમા તા-૨૦/૧૦/૨૦૨૦ થી ૨૧/૦૫/૨૧૨૧ સુધીમા પ્રોબીહીશના ગુનાઓમા કબ્જે કરવામા આવેલ અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લીની બોટલ નંગ-૩૨૭૩૩ કી.રૂ૧,૨૧,૪૨,૧૪૫ /-તથા અલગ -અલગ બ્રાન્ડના બીયરના ટીન નંગ -૮૯૦૪ કી.રૂ ૮,૯૬,૪૦૦/- વાળો કબ્જે કરવામા આવેલ હોય જે મુદામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટ માથી હુકુમ મેળવી આજરોજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ શ્રી વી.કે જોષી સાહેબ નાઓની રૂબરૂ અને અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ શ્રી એમ.એન.રાણા નાઓ તથા નશાબંધી અને અબકારી અધીકારી શ્રી દ્વારા કુલે ૧,૪૦,૩૯,૨૯૫/-ના પ્રોહીબીશન ના મુદામાલનો નાશ કરવા સરસ્વતી કન્ટ્રકશન તથા બી.વી.એસ કન્ટ્રકશનના લોડરો નો ઉપયોગ કરી શીણાય ખાતે આવેલ સરકારી પડતર જમીનના પટ્ટ પર દારૂનો નાશ કરેલ.



૧,૪૦,૩૯,૨૯૫/- નો ઇગ્લીશ દારૂ

આ કામગીરીમાં નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડી.એસ. વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ શ્રી વી.કે જોષી સાહેબ તથા અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ શ્રી એમ.એન.રાણા નાઓ તથા નશાબંધી અને અબકારી અધીકારી શ્રી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.